Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મોદીજી જયાં પણ જાય છે ત્યાં માત્ર ખોટું બોલીને ચાલ્યા જાય છેઃ રાહુલ ગાંધી

યવતમાલમાં રેલીને સંબોધતા ૧૫ લાખનો વાયદો અને ખેડૂતોના ખાતામાં છ હજારના વચનનો હવાલો ટાંકયો

 મુંબઈ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના યવતમાલમાં ચૂંટણી રેલીને સંબોધીત કરી.જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્રભાઇ મોદી જયાં પણ જાય છે ત્યાં માત્ર ખોટું બોલીને ચાલ્યા આવે છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ૧૫ લાખ રૂપિયાનો વાયદાનો અને ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા આપવાના વાયદાનો હવાલો આપ્યો.હતો તેમણે કહ્યું કે પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી સમયે કહ્યું હતુ કે દરેક ખેડૂતોના બેંક ખાતામાં ૬ હજાર રૂપિયા નાંખવામાં આવશે. તે પહેલાની ચૂંટણીમાં તેમણે ૧૫ લાખ રૂપિયાનો વાયદો કર્યો હતો. પરંતુ કોઇને મળ્યા નહીં. તેઓ માત્ર ખોટું બોલે છે. 

(3:54 pm IST)