Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જમ્મૂ-કાશ્મીરમાં અનંતનાગમાં સુરક્ષાદળોએ હિઝબુલનો કમાન્ડર નાસિર ચાદરૂ સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા

સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો : હજી પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન

શ્રીનગર :જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેનાને મંગળવારની રાતે આતંકીઓ છુપાયા હોવાની સુચના મળી હતી. જેને લઇને સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે સુરક્ષાબળોના ઘેરાવ બાદ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેને લઇને સેનાએ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ આતંકીને ઠાર માર્યા હતા.

અનંતનાગમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળતાં સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. હાલ સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.

સેના અને આતંકી વચ્ચે અનંતનાગમાં થયેલી અથડામણમાં જે ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે તેમાં એક હિઝબુલનો કમાન્ડર નાસિર ચાદરૂ ઠાર મરાયો છે. પોલીસે જણાવ્યું છે કે સેના દ્વારા હજી પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

(12:11 pm IST)