Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પાલઘરમાં ચાર માળની બિલ્ડીંગ ધરાશયી : કાટમાળમાં કેટલાય લોકો દબાયાંની આશંકા

પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

 

મહારાષ્ટ્રના પાલઘરમાં મંગળવાર રાત્રે એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ. કાટમાલમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે.

 દરમિયાન એવું જણાવાય રહ્યું છે કે બિલ્ડિંગ ગેરકાયદે હતી. રાહત અને બચાવ કામગીરી માટે પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે

સ્થાનિક લોકોએ કાટમાળમાં દબાયેલ લોકોના બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. ઘટનાસ્થળે પર વિરાર પોલીસના જવાન પહોંચી ગયા છે. રાહત અને બચાવનું કામ ઝડપી કરી દીધું છે.

(12:54 am IST)