Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

દેશ સૈન્ય સાથે એક થઈને ઊભો છે:સંરક્ષણ મંત્રી જણાવે કે ચીને આપણી જમીન પર કબજો કરવાનું દુસ્સાહસ કેમ કર્યું?

વડાપ્રધાન મોદીએ ચીન દ્વારા ઘૂસણખોરી ન કરવા અંગે ગેરમાર્ગે શા માટે દોર્યા?

નવી દિલ્હી : ચીની ઘુષણખોરી મામલે કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય  મહાસચિવ રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે, દેશ સૈન્ય સાથે એક થઈને ઊભો છે, પરંતુ સંરક્ષણ મંત્રી  જણાવે કે ચીને આપણી જમીન પર કબજો કરવાનું દુસ્સાહસ કેવી રીતે કર્યું? વડાપ્રધાન મોદીએ ચીન દ્વારા આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી ન કરવા અંગે ગેરમાર્ગે શા માટે દોર્યા? વધુમાં ચીન સાથેના સંઘર્ષ મુદ્દે ચર્ચા કરવાની વિપક્ષની માગ સરકારે ફગાવી દીધી હતી. જવાબમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે મોદી સરકાર લદ્દાખ વિવાદ મુદ્દે લોકસભામાં ચર્ચા કરતાં ડરી રહી છે અને ગૃહમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરી અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યો હતો.

(11:08 am IST)