Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સોનીયાએ કોંગી મુખ્યમંત્રીઓને પૂછયુ સારૂ કામ કરો છો તો જીત્યા કેમ નહી ?

સરકાર સંગઠન તાલમેલ કરી ચૂંટણી વચન પુરા કરો

નવી દિલ્હી તા. ૧૬ :.. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તાજેતરમાં નવી દિલ્હી ખાતે દેશભરના ટોચના કોંગી આગેવાનોની બેઠક બોલાવનાર સોનીયા ગાંધી લોકસભા ચૂંટણીના પછડાટના આઘાતમાંથી હજુ બહાર આવ્યા નથી તેમણે કોંગ્રેસી મુખ્યમંત્રીઓને પુછયુ હતું કે સારૂ કામ કરો છો તો લોકસભામાં જીતી કેમ ના શકયા ?

કોંગ્રેસની બેઠકમાં કમલનાથ ત્થા અશોક ગેહલોત મધ્યપ્રદેશ ત્થા રાજસ્થાનની સરકારની જનકલ્યાણ નિતીઓ અંગે અવગત કરાવી રહ્યા હતાં. ત્યારે સોનીયાજીએ બન્નેને ઉદેશી ને કહયુ હતું કે તમારી સરકાર આવુ સરસ કાર્ય કરી રહી છે તો પછી લોકસભા ચૂંટણીમાં આપણે જીતી કેમ ના શકયા ?

આ બેઠકમાં કમલનાથ, અશોક ગેહલોત ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ, પોંડીચેરીના મુખ્યમંત્રી નારાયણ સ્વામી પણ હાજર હતાં.

સોનીયાજીએ બોલાવેલી બેઠકનો હેતુ એ હતો કે કોંગી સરકારો અને સંગઠન વચ્ચે તાલમેલ બની રહે અને ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યા છે તેને લાગુ કરવામાં  પ્રાથમિકતા દાખવવામાં આવે.

(11:46 am IST)