Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સપા પ્રમુખ અખિલેશ યાદવને મળવા માટે નેતા બન્યા વરરાજ, કાર્યકર્તા બન્યા જાનૈયા

         નવી દિલ્હી : ઉતરપ્રદેશના રામપુરમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મળવા માટે સપા નેતા ફિરોઝખાનએ વરરાજાનો વેશ બનાવ્યો જયારે અન્ય કાર્યકર્તાઓ જાનૈયા બની પહોચ્યા હતા.

         થોડા સપા નેતાઓએ આરોપ લગાવ્યો કે એમને રામપુર જવા અથવા અખીલેશ યાદવને મળવાથી રોકવામા આવે છે. જયારે જીલ્લા પ્રશાસનએ આવી કોઇપણ પાબંદી હોવાનો ઇન્કાર કરેલ છે. અખિલેશ યાદવ રામપુરની બે દિવસની યાત્રા પર છે.

(12:00 am IST)