Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

અંકુશરેખા પર ભારતની તૈયારીની સમીક્ષા કરાઈ

બિપિન રાવત સમીક્ષા કરી ચુક્યા

નવી દિલ્હી, તા.૧૫ : અંકુશરેખાથી ૩૦ કિલોમીટર વિસ્તારના અંતરે પાકિસ્તાને મોટી સંખ્યામાં પોતાના વિસ્તારમાં જવાનોનો ખડકલો કર્યો છે. પોતાના પ્રદેશની અંદર અંકુશરેખાથી ૩૦ કિલોમીટરના અંતરે પાકિસ્તાને બ્રિગેડ કદના ફોર્સની તૈનાતી કરી દીધી છે. સેના દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. બીજી બાજુ ભારતીય સેના પણ પાકિસ્તાનના કોઇપણ કૃત્યને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. શનિવારના દિવસે જ સેનાના નોર્થન કમાન્ડના કમાન્ડર લેફ્ટી જનરલ રણબીરસિંહે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી. બીજી બાજુ ભારતીય સેનાના વડા જનરલ બિપિન રાવતે પણ અંકુશરેખા પર ભારતીય તૈયારીઓની સમીક્ષા કરવા હાલમાં જ ખીણની મુલાકાત લીધી છે. પાકિસ્તાન તરફથી અવિરત ઉશ્કેરણીજનક કૃત્યોથી સ્થિતિ વણસી જવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.

(12:00 am IST)