Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત નાજુક :પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ એમ્સ પહોંચ્યા

યોગી આદિત્યનાથ પણ જેટલીની તબિયત પુછવા માટે એઈમ્સ પહોંચ્યા

 

નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના ખબરઅંતર પૂછવા માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ  શાહ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા છે.ભાજપના  નેતા અરૂણ જેટલી છેલ્લા ઘણા સમયથી બીમાર છે. અરૂણ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જેટલીની તબિયત પુછવા માટે એઈમ્સ પહોંચ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ખબરઅંતર પુછવા માટે એઈમ્સ પહોંચ્યા હતા. અરૂણ જેટલી છેલ્લા બે વર્ષથી બિમાર છે. ગત વર્ષે જેટલીએ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યારબાદ જેટલીના ડાબા પગમાં સૉફ્ટ ટિશૂ કેન્સર થઈ ગયું છે. જેની સર્જરી માટે તેઓ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા

(12:28 am IST)