Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મુખ્યમંત્રી વિજયભાઈ અને ડે. મુખ્યમંત્રી નીતિ પટેલે દિલ્હીમાં અટલજીને શ્રધાસુમન અર્પણ કર્યા

 

નવી દિલ્હી : ભારતરત્ન અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું સાંજે. 5.05 વાગ્યે દિલ્હીમાં એઈમ્સ ખાતે નિધન થયું હતું. જેના પગલે સમગ્ર દેશમાં શોકલહેર વ્યાપી ગઈ છે. તેમના પાર્થિવ દેહને એઇમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે દિલ્હી પહોંચીને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી બાજપેયીજી ના પાર્થિવ દેહ ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા

(11:11 pm IST)