Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વાજપેયીનું નિધન માત્ર દેશ માટે જ નહીં જમ્મુ-કાશ્મીરના લોકોને મોટી ક્ષતિ :તેઓ વડાપ્રધાન હતા જેમણે અમારી વેદના સમજી:મહેબુબા મુફ્તી

નવી દિલ્હી : દેશનાં પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન થઇ ગયું. તેઓ એક કુશળ રાજનેતા, કવિ, પ્રખર વક્તા અને પત્રકાર સ્વરૂપે રાજનેતાઓ અને જનતાની વચ્ચે રહ્યા. જમ્મુ કાશ્મીરના પૂર્વ વડાપ્રધાન મહેબુબા મુફ્તીએ તેમનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વાજપેયીજીનું નિધન માત્ર દેશ માટે નહી, પરંતુ જમ્મુ કાશ્મીરનાં લોકો માટે ઘણી મોટી ક્ષતી છે. મહેબુબાએ કહ્યું કે, તેઓ વડાપ્રધાન હતા જેમણે અમારી વેદનાને સમજવાનો પ્રયાસ કર્યો હતો

   વાજપેયીએ લોકસભામાં પોતાનાં શ્રીનગરમાં આપેલા ભાષણમાં વિસ્તારથી જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જો આપણે માનવતા, જમુરિયર અને કાશ્મીરિયતનાં ત્રણ સિદ્ધાંતોનું પાલન કરતા આગળ વધીએ તો મુદ્દાઓનું સમાધાન કરવામાં આવી શકે છે.

(10:23 pm IST)