Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

'અટલજી 'ના નિધનથી રાજ્યમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર :રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે : કાલે સમગ્ર રાજ્યની સરકારે-અર્ધ સરકારી અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ-શાળા-કોલેજો અને યુનિ. ભવનો રજા પાળશે

અમદાવાદ :પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારીજીના દુઃખદ અવસાન અંગે ગુજરાત સરકારે આજથી 7 દિવસ નો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સાત દિવસ 16 થી 22 ઓગષ્ટ દરમ્યાન  જે સરકારી કચેરીઓ તેમજ સરકારી ઇમારતો પર રાષ્ટ્ર ધ્વજ નિયમિત પણે ફરકાવવા માં આવે છે ત્યાં અડધી કાઠીએ ફરકાવવા નો રહેશે..

  સદ્દગત અટલબિહારીજીના આવતી કાલે અંતિમ સંસ્કારના દિવસે તેમના સન્માન માં સમગ્ર રાજ્યમાં સરકારી અર્ધ સરકારી કચેરીઓ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ શાળા કોલેજો યુનિવર્સિટીના ભવનો  રજા પાળશે.

(9:18 pm IST)