Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ગગનયાન માટે અમારી પહેલેથી જ તૈયારી: આ મિશન પર કામ કરી રહ્યાં છીએ :ઈસરો

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે 2022 સુધીમાં તે માનવમિશન ગગલયાનને અંતરિક્ષમાં મોકલશે. ત્યારે આ જાહેરાત બાદ ઈસરોએ પણ પોતાની તૈયારી દર્શાવી છે.

  ઈસરોના ચેરમેન શિવને કહ્યુ કે, અમે પહેલેથી જ આ મિશન પર કામ કરી રહ્યા છીએ. આ માટે લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં પ્રાથમિકતાની સાથે કામ કરવાની જરૂરિયાત છે.

(1:51 pm IST)