Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કોંગ્રેસનો પડકારઃ મોદી સ્‍વાતંત્ર્યદિનનાં ભાષણોમાં સાચું બોલે

નવીદિલ્‍હી, તા.૧૬: કોંગ્રેસે ગઇ કાલે જણાવ્‍યું હતું કે ‘વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ તેમના કાર્યકાળના છેલ્લા પ્રવચનમાં પોકળ વાતો કહેવાને બદલે સાચું બોલવાની જરૂર હતી. વડા પ્રધાને અમારા પક્ષપ્રમુખ રાહુલ ગાંધીનો ભ્રષ્‍ટાચાર, ટોળાંની હિંસા અને ચીનના અતિક્રમણ જેવા વિષયો પર ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર ઝીલવો જોઇએ.'

કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ વડા પ્રધાનના સ્‍વાતંત્ર્યદિનના પ્રવચનમાં સામાન્‍ય નાગરિક માટે એક પણ અર્થપૂર્ણ શબ્‍દ ઉચ્‍ચારવામાં આવ્‍યો ન હોવાનું જણાવ્‍યું હતું.

વડા પ્રધાને લોકસભાની ચુંટણી પહેલાંના સ્‍વાતંત્ર્યદિનના આખરી પ્રવચનમાં આગલી શ્‍ભ્‍ખ્‍ની સરકારના શાસનમાં નીતિઓના પક્ષાઘાતને વખોડતાં એની સરખામણીમાંફઝખ્‍ના શાસનમાં ભારતના ઉર્ત્‍ક્‍ષનું ચિત્ર ઊપસાવ્‍યું હતું.(૨૨.૬)

(11:53 am IST)