Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 39.068 કેસ નોંધાયા : વધુ 39.819 દર્દીઓ રિકવર થયા : વધુ 544 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.12.563 થયો :એક્ટીવ કેસ 4.24.697 થયા : કુલ કેસની સંખ્યા 3.10.25.875 થઇ

સૌથી વધુ કેરળમાં 13.773 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8010 કેસ,આંધ્રપ્રદેશમાં 2526 કેસ, તામિલનાડુમાં 2405 કેસ, ઓરિસ્સામાં 2110 કેસ,આસામમાં 1992 કેસ, કર્ણાટકમાં 1977 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 39.068 કેસ નોંધાયા છે. જ્યારે 39.819 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 39.019 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 544 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.12.563 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 39.068 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.10.875 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.24.697 થઇ છે છેલ્લા 24 કલાકમાં 39.819 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.01.76.308 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 13.773 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8010 કેસ,આંધ્રપ્રદેશમાં 2526 કેસ, તામિલનાડુમાં 2405 કેસ, ઓરિસ્સામાં 2110 કેસ,આસામમાં 1992 કેસ, કર્ણાટકમાં 1977 કેસ નોંધાયા છે

(12:54 am IST)