Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ર૪ કલાકમાં ૩ર૬૯પ કેસઃ ૬૦૬ નાં મોત

કોરોનાનો કુલ મૃત્યુ આંક ર૪૯૧પઃ કુલ કેસ ૯,૬૮,૮૭૬

નવી દિલ્હી તા. ૧૬ : કોરોનાનો કહેર વધી રહયો છે. છેલ્લા ર૪ કલાકમાં ૩ર૬૯પ નવા કેસ સામે આવ્યા છે. અને ૬૦૬ લોકોના મોત થયા છે.

આ સાથે દેશભરમાં કોરોના પોઝીટીવ  કેસની સંખ્યા ૯,૬૮,૮૭૬ ની થઇ છે. જેમાંથી ૩,૩૧,૧૪૬ સક્રિય કેસ છે. ૬,૧ર,૮૧પ લોકો સાજા થયા છે. અથવા તો હોસ્પિટમાંથી રજા આપવામાં આવી છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ર૪૯૧પ લોકોના મોત થયા છે.

દેશમાં મહારાષ્ટ્રમાં ૧૦૯ર૮, ગુજરાતમાં ર૦૭૯, દિલ્હીમાં ૩૪૮૭, કર્ણાટક ૯ર૮, મ.પ્રદેશ ૬૮ર, તામિલનાડુમાં ર૧૬૭, પ. બંગાળમાં ૧૦૦૦, ઉત્તર પ્રદેશમાં ૧૦૧ર રાજસ્થાનમાં પ૩૦ લોકોના મોત થયા છે.

અત્યાર સુધીમાં કુલ ૧,ર૭,૩૯,૪૯૦ ટેસ્ટ કરાયેલ છે જેમાં ગઇકાલે ૩,ર૬,૮ર૬ ટેસ્ટ કરાયા હતા.

(11:34 am IST)