Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ત્રાસવાદી કેમ્પોને ફુકી મારવા ભારતનો ફરી મોટુ ઓપરેશન

મ્યાનમાર સાથે મળીને ઓપરેશન હાથ ધરાયું : મણિપુર,નાગાલેન્ડ, આસામમાં બળવાખોર આતંકવાદી સંગઠનોને ટાર્ગેટ બનાવીને સરહદી વિસ્તારમાં કાર્યવાહી

નવી દિલ્હી, તા. ૧૬ : ભારત અને મ્યાનમારની સેનાએ તેમના સંબંધિત સરહદી વિસ્તારમાં ૧૬ મેથી ત્રણ સપ્તાહ માટે લશ્કરી ઓપરેશન હાથ ધર્યું છે. મણિપુર, નાગાલેન્ડ, આસામમાં સક્રિય રહેલા કેટલાક આતંકવાદી સંગઠનોને ટાર્ગેટ બનાવીને આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સંરક્ષણ સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, મ્યાનમાર સરહદ ઉપર ત્રણ મહિના અગાઉ ઓપરેશન સનરાઇઝનો પ્રથમ તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર પૂર્વ સ્થિત આતંકવાદી સંગઠનનોના કેમ્પનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. મ્યાનમાર ભારતના વ્યૂહાત્મક પડોશી દેશો પૈકી એક દેશ છે અને તે ઉત્તર પૂર્વ રાજ્યોની સાથે ૧૬૪૦ કિલોમીટરની સરહદ ધરાવે છે. નાગાલેન્ડ અને મણિપુર સહિતના રાજ્યોમાં તેની સરહદો રહેલી છે. ભારતે બંન્ને દેશો વચ્ચે સંકલન જાણવી રાખીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. મ્યાનમારમાં સેનાની સાથે મળીને જુદા જુદા વિસ્તારોમાં આતંકવાદી સંગઠનનોના કેમ્પનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. કેએલઓ, એનએસસીએન, યુનાટેડ લિબરેશન ફ્રટ ઓફ આસામ અને અન્ય બળવાખોર સંગઠનોના કેમ્પનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન છ ડઝનથી વધુ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના કેમ્પોનો સફાયો થયો છે. આ ઓપરેશન લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. ઈન્ટેલિજન્સ માહિતી અને જમીની પરિસ્થિતિના આધાર પર હવે ઓપરેશન  હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય સેના ઉપરાંત આસામ રાઈફલના જવાનો પણ આ ઓપરેશનમાં સામેલ થયા છે. અન્ને નોંધનીય છે કે, જુન ૨૦૧૫માં ભારતીય સેનાઓ ભારત-મ્યાનમાર સહરદ નજીક વિસ્તારોમાં આતંકવાદીઓ સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બળવાખોરો માર્યા ગયા હતા. મણિપુરમાં સેનાના ૧૮ જવાનોને હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ભારતે મ્યાનમાર ઘુસેની આક્રમક કાર્યવાહી કરી હતી. ઓપરેશન સનરાઇઝના પ્રથમ તબક્કામાં ભારતીય સેનાએ મ્યાનમાર રહેલા બળવાખોર સંગઠન અરાકન સામે કાર્યવાહી હાથ ધરી હતી. ભારતીય સેનાએ હાલના દિવસોમાં મોટા ઓપરેશનોને પાર પાડ્યા છે. જેમાં મ્યાનમાર ઉપરાંત પાકિસ્તાનમાં ઘુસીને પણ ઓપરેશનનો પાર પાડવામાં આવ્યા છે.

સરહદ ઉપર કાર્યવાહી

*   ભારત અને મ્યાનમારની સેના દ્વારા સરહદી વિસ્તારોમાં લશ્કરી ઓપરેશન હાથ ધરાયું

*   મણિપુર, નાગાલેન્ડ અને આસામમાં રહેલા કેટલાક ત્રાસવાદી સંગઠનનો ટાર્ગેટ બનાવીને કાર્યવાહી

*   મોટી સંખ્યામાં આતંકવાદી અડ્ડાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો

*   નાગાલેન્ડ અને મણિપુર સહિત ઉત્તર પૂર્વ રાજ્યોમાં મ્યાનમાર ભારત સાથે સરહદ ધરાવે છે

*   બન્ને દેશો સેનાની સેના સાથે મળીને કાર્યવાહી કરી રહી છે

*   ભારતીય સેના ઉપરાંત ઓપરેશનમાં આસામ રાઇફલના જવાનો પણ સામેલ થયા

*   જુન ૨૦૧૫માં ભારતીય સેનાએ મ્યાનમારમાં ઘુસીને કાર્યવાહી કરી હતી

*   મણિપુરમાં ૧૮ જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ મ્યાનમારમાં આક્રમક કાર્યવાહી કરી હતી

(7:41 pm IST)