Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ઇદના લીધે કેન્દ્ર સરકાર મૌન

એકતરફી સીઝફાયર અંગે આવતીકાલે નિર્ણય લેવાશે : રાજનાથસિંહે કહી સ્પષ્ટ વાત

નવી દિલ્હી તા. ૧૬ : જમ્મુ અને કાશ્મીરમાં સીઝફાયર અંગે એકબાજુ સરકારમાં મંથન ચાલી રહ્યું છે તો બીજી બાજુ ઇદના દિવસે પણ હિંસાના બનાવો ઓછા થયા નથી. સરહદ પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને એક ભારતીય જવાન શહીદ થઇ ગયો. બીજી બાજુ ઘાટીમાં પાક સમર્થિત અલગાવવાદીઓએ ભારત વિરોધી નારા લગાવ્યા અને સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કર્યો. આ બધાની વચ્ચે સરકાર તરફથી સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે. ઇદ બાદ ત્રાસવાદીઓ વિરૂધ્ધ ઓપરેશન પર મોટો નિર્ણય લેવાશે.

(3:45 pm IST)