Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ર૦૧૭માં ભારતીય અબજપતિઓની સંપત્તિમાં ૧૮ ટકાનો વધારો નોંધાયો

૧ અબજ ડોલરથી વધુ ના માલિક પ૦ વ્યકિતઓ પાસે ભારતની કુલ સંપત્તિનો ૧૬ ટકા હિસ્સો હતો

નવી દિલ્હી, તા. ૧૬ :દેશના ધનવાનોની સંપત્તિમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે ૧ અબજ ડોલરથી વધુ સંપત્તિવાળી વ્યકિતઓના ખજાનામાં ર૦૧૬-૧૭માં સૌથી વધુ વૃદ્ધિ થઇ છે. બોસ્ટન કન્સલટીંગ ગ્રુપ ગ્લોબલ વેલ્થ રિપોર્ટ ર૦૧૮માં આમ જણાવાયું છે.

ર૦૧૭ના અંતમાં ૧ અબજ ડોલરથી વધુના માલિક પ૦ વ્યકિતઓની પાસે ભારતની કુલ સંપત્તિના ૧૬ ટકા હિસ્સો હતો જે વૈશ્વિક અને એશિયા પેસીફીક સ્તર પર અબજપતિઓની હિસ્સે દારીથી ઘણી વધારે છે.

૧ અબજ ડોલરથી વધુ સંપત્તિવાળા ધનવાનોની સંપતિમાં ર૦૧૭માં ૧૮ ટકાનો વધારો થયો છે.

(3:38 pm IST)