Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

લીવ - ઈન - રીલેશન : નીરૂ રંધાવાએ અંતે અરમાન કોહલીએ માફી માંગતા માફ કર્યો

પ્રાયશ્ચીતરૂપે બે સંસ્થાને ૧ - ૧ લાખના દાન અપાવ્યા : પસ્તાવો થયો !

મુંબઇ તા. ૧૬  : પ્રેમિકા અને ફેશન સ્ટાઇલિસ્ટ નીરૂ રંધાવાની મારઝુડ પ્રકરણે સાંતાક્રુઝ પોલીસે ધરપકડ કરેલા અભિનેતા અરમાન કોહલીના પરિવારજનોએ નીરૂ સાથે તડજોડ કરતાં અરમાનને સમાજસેવા તરીકે રૂ.૨ લાખનું દાન કરવાની શરતે છોડી મુકવામાં આવ્યો છે.

અરમાનના પરિવારજનોએ સમજણ આપ્યા પછી નીરૂએ ફરિયાદ પાછી ખેંચી રહી છુ એવુ હાઇકોર્ટને જણાવ્યુ હતુ. મુળ બ્રિટિશ નાગરિક નીરૂએ કોહલી પરિવારે નક્કી કરેલી રકમ સ્વીકારી રહી છુ  એવુ પણ કોર્ટને જણાવ્યુ હતુ માથે મલમપટ્ટી સાથે તે કોર્ટમાં આવી હતી. હાઇકોર્ટે અરમાનને રૂ. ૧ લાખ ટાટા મેમોરીયલની નાના બાળકોને ઉપચાર કરતી શાખાને  અને રૂ. ૧ લાખ નેશનલ એસોસિયેશન ઓફ બ્લાઇન્ડને દાન આપવાની શરતે છોડી મુકયો હતો. જસ્ટિશ આર એમ સાવંત અને રેવતી મોહિતે - ડેરેની ખંડપીઠ સામે આજે સુનાવણી થઇ હતી. અરમાને કબુલ કર્યુ કે મારાથી ભૂલ થઇ છે. જેનો મને પશ્ચાતાપ છે. હવે પછી આવી ભૂલ નહી કરું (૯.૧)

(11:39 am IST)