Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને તામિલનાડુમાં શ્રી રામકથાનો પ્રારંભ

રાજકોટ તા.૧૬: પૂ. મોરારીબાપુના વ્યાસાસને આજથી તામિલનાડુના મદુરાઇ ખાતે શ્રી રામકથાનો પ્રારંભ થશે.

હોટલ તામિલનાડુ-ર, અલગર કોવીલ રોડ, પુદુર હોટલ ફોર્ચ્યુન પાંડીયન, મદુરાઇ ખાતે આજે શનિવારે સાંજે ૪ વાગ્યે શ્રી રામકથાનો પ્રારંભ થશે અને પ્રથમ દિવસે સાંજના ૭ વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે.

જયારે તા. ૧૭ ને રવિવાર થી તા. ૨૪ ને રવિવાર સુધી દરરોજ સવારના ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે.

શ્રી રામકથાનું આસ્થા ચેનલ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

(11:22 am IST)