Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

લખનૌમાં વિપક્ષી નેતાઓની બેઠક બોલાવશે મમતા : મહાગઠબંધનની તૈયારી

રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવવા મમતા તૈયાર

કોલકતા, તા. ૧૬ : આ મહિને ચીનની મુલાકાત લીધા બાદ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી લખનૌ ખાતે વિપક્ષી બેઠકનું આયોજન કરવા વિચારી રહ્યા છે.

મમતા બેનરજીએ અગાઉ કહ્યું હતું કે જો અખિલેશ અને માયાવતી મને આમંત્રણ આપે તો હું લખનૌ જવા તૈયાર છું. તૃણમુલના નેતાઓનું કહેવું છે કે મમતા બેનરજી રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવવા માંગે છે.

તૃણમુલ નેતાઓનું કહેવું છે કે ર૦૧૯ની ચૂંટણીનો મુખ્ય આધાર યુપી છે અને માયાવતી અખિલેશનું જેઠાણુ છે.

તૃણમુલનું કહેવું છે કે લખનૌ બેઠકમાં બધા વિપક્ષી નેતાઓને બોલાવાશે અને મહાગઠબંધનની જાહેરાત કરાશે. મમતા બેનરજી ડીએમકેના નેતા સ્ટેલીનને પણ મળવાના છે. તેઓ કર્ણાટક, આંધ્ર, તેલંગણાના નેતાઓને પણ મળશે.

(10:15 am IST)