Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં ભૂસ્ખલન: 5 લોકોના મોત : છ ઘાયલ

અરુણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદ થતા કેટલાક જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓ બની

અરુણાચલ પ્રદેશમાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇટાનગરમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે પાંચ લોકોના મોત થયા છે અને છ ઘાયલ થયા છે. રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારી નિયમો મુજબ, મૃતકો અને ઘાયલોના નજીકના સંબંધીઓને જરૂરી એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે.

 અરુણાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે કેટલાક જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. તે જ સમયે, આ દિવસોમાં આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે.

(10:52 pm IST)