Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પંજાબમાં કેપ્ટન-બાદલ પરિવાર વચ્ચે કરાર?

તમે મારી પત્નિને જીતાડી દયોઃ હું તમારી પત્નિને જીતાડી આપીશ !!

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પક્ષના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ ફરી ચર્ચામાં આવ્યા છે તેઓ તાજેતરમાં દિલ્હીથી દૂર પંજાબમાં ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે. તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે સતત એક પછી એક રોડ શો અને સભાઓ કરી રહ્યા છે. તેમણે આવા જ એક રોડ શો દરમિયાન પંજાબના કોંગી મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસીંઘ અને ભાજપના સાથી પક્ષ અકાલી દળ ઉપર મિલીભગતના ગંભીર આરોપો લગાવ્યા.

પંજાબના ભટીંડા ખાતે આમ આદમી પક્ષના ઉમેદવાર બલવિંદર કૌરના રોડ શોમાં તેમણે કહ્યું કે અકાલી દળના બાદલ પરિવાર અને કોંગ્રેસના મુખીયા-મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસીંઘ પરિવારમાંં સમજૂતી થયેલ છે કે ''તમે મારી પત્નિને ભટીંડા બેઠક પરથી જીતાડો, હું તમારી પત્નિને પતીયાળા બેઠક ઉપરથી જીતાડી દઇશ.''

કેજરીવાલે બુલંદ સ્વરમાં કહેલ કે અકાલીદળના હરસિમરત કૌર બાદલ દિલ્હી અને રાજા વર્ડિંગ મુકતસર સાહિબ ખાતે રહે છે. ભટીંડાની પ્રજા કાન ખોલીને સાંભળી લ્યે કે તમારે તમારા કોઇ કામ કરાવવા હશે તો તમારે દિલ્હી કે મુકતસર સાહિબ જવું પડશે. તેમણે જનતાને સ્થાનિક ભટીંડાની પુત્રી બલવિન્દર કૌરને જીતાડવા હાકલ કરેલ.

રવીવારે દિલ્હીની સાતેય બેઠકો ઉપર મતદાન પૂરૃં થઇ જવાના પગલે કેજરીવાલ પોતાનું બધું ધ્યાન પંજાબ ઉપર કેન્દ્રિત કરી રહ્યા છે.(૬.૬)

(10:18 am IST)