Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

છત્તીસગઢમાં ફરીવાર નક્સલીઓએ આતંક મચાવ્યો : દંતેવાડામાં ત્રણ ટ્રક અને એક મશીનને આગ ચાંપી

નક્સલીઓએ રસ્તાનું નિર્માણ કરતી ગાડીઓને આગને હવાલે કરી

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં ફરીવાર નક્સલવાદીઓએ આતંક મચાવ્યો છે નક્સલવાદીઓએ ત્રણ હઈવા ટ્રક અને એક મશીનને આગને હવાલે કરી દીધા છે. નક્સલીઓએ આ ઘટનાને દંતેવાડાના કિરંદૂલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંજામ આપ્યો છે. અહીં રસ્તાના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું, જેને રોકવા માટે નક્સલીઓએ રસ્તાનું નિર્માણ કરતી ગાડીઓને આગને હવાલે કરી દીધી.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં નક્સલીઓએ પોલીસ વાનને નિશાન બનાવ્યાં હતાં. નક્સલીઓએ પોલીસના ગાડીને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દીધી. આ હુમલામાં 10 સુરક્ષાકર્મી શહીદ થયા હતા  નક્સલીઓએ ગઢચિરૌલી અંતર્ગત આવતા કુરખેદામાં 40 જેટલી ગાડીઓને આગને હવાલે કરી હતી. તેમણે પાછલા વર્ષે થયેલ એન્કાઉન્ટરનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપ્યો છે. આ એન્કાઉન્ટરમાં 40 નક્સલી નેતા ઠાર મરાયા હતા.

  આ એન્કાઉન્ટરનું એક વર્ષ પૂરું થતાં નક્સલીઓ એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે ગાડીઓને સળગાવવામાં આવી છે, તે પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર્સની છે. જે ગાડીઓને નક્સલીઓએ સળગાવી છે તેમાંથી મોટાભાગની ગાડીઓ અમર કન્સ્ટ્રક્શન લિમિટેડની છે. આ એ કંપની છે જે નેશનલ હાઈવે પર સ્થિત પુરાદા-યેરકાદ સેક્ટરમાં કંસ્ટ્રક્શન કામમાં લાગી છે.

(12:11 pm IST)