Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પરાજયના ડરથી મમતા બેનર્જીએ હુમલો કરાવ્યો :હિંસા માટે મુખ્યમંત્રી જવાબદાર:અમિતભાઇ શાહની પ્રતિક્રિયા

ષડયંત્ર વગર હુમલો થઈ શકે નહીં: મમતાએ હિંસાની કિંમત ચૂકવવી પડશે

કોલકાતા: કોલકાતામાં  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે રોડ શો દરમિયાન થયેલી  હિંસા માટે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે અમિતભાઇ શાહે પ્રતિક્રિયા અપાતા જણાવ્યું કે આ હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર છે.અમિતભાઇ શાહે કહ્યું કે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે. 

  અમિતભાઇ શાહે કહ્યું કે, "હારના ડરથી મમતાએ હિંસા કરાવી. મમતાએ હિંસાની કિંમત ચૂકવવી પડશે. રોડ શોમાં મમતાએ શાંતિનો ભંગ કર્યો. ષડયંત્ર વગર હુમલો  થઈ શકે નહીં. મમતા હારના ડરથી હતાશ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે આંખ-કાન બંધ કરી લીધા છે. ચૂંટણી પંચ મૂક દર્શક બનીને બેઠું છે. હિસ્ટ્રી શીટર  ખુલ્લે આમ ઘૂમી રહ્યાં છે."

(12:00 am IST)