Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બંધારણ માત્ર એટલું કહે છે કે મુખ્યમંત્રીની નિમણૂંક રાજ્યપાલ કરશે

સૌથી મોટા પક્ષને સરકાર રચવા નિમંત્રણ આપવું એવું લખ્યું નથી...

બેંગલુરૂ તા. ૧૬ : ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી પરંતુ રાજયપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. કર્ણાટકમાં પણ આ પરંપરા કાયમ રહેશે કે પછી રાજયપાલ વજુભાઇ વાળા અહીંની સૌથી મોટી પાર્ટી બીજેપીને આમંત્રણ આપશે?

   માત્ર મોટા પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું છે એવું નથી પરંતુ કેટલાક મામલાઓમાં સૌથી મોટા દળને તક આપવામાં આવી છે. તો કેટલાક કિસ્સાઓમાં સૌથી મોટા ગઠબંધનને પણ તક આપવમાં આવી છે. કેટલીકવાર નાના પક્ષોને પણ તક અપાઇ છે. સૌથી મોટા દળને અમંત્રણ આપવાની વાત છે. જોકે બંધારણમાં મોટા પક્ષને આમંત્રણ આપવાનો કયાંય જ ઉલ્લેખ નથી. બંધારણમાં માત્ર એટલો ઉલ્લેખ છે કે મુખ્યમંત્રીની નિમણૂક રાજયપાલ કરશે.

રાજયપાલ બિન રાજકિય પદ છે. તો પણ રાજયપાલોની રાજકિય ભૂમિકાને લઇને અનેક પ્રશ્નો ઊભા થાય છે. અનેક રાજયોમાં રાજભવન રાજકિય અખાડા બની ગયું છે. કર્ણાટક મામલામાં એ પણ એક સચ્ચાઇ છે કે વજુભાઈ વાળા ગુજરાતના ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂકયા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નજીકના માણસ પણ માનવામાં આવી રહ્યા છે. મોદીને મુખ્યમંત્રી તરીકે પસંદી થયા બાદ તેમણે મોદી માટે રાજકોટ પશ્વિમ સીટ છોડી દીધી હતી. તેમણે નવ વર્ષ સુધી ગુજરાતના નાણાંમંત્રી તરીકે રહ્યા હતા. વર્ષ ૨૦૦૫-૨૨૦૬ સુધી ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ રહ્યા છે. આવી સ્થિતિમાં રાજયપાલ શું કરશે?

બંધારણના જાણકારના કહેવા પ્રમાણે ચૂંટણીમાં કોઇ પક્ષમાં સ્પષ્ટ બહુમત ન મળવાની સ્થિતિમાં રાજયપાલને વિવેકાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આવામાં સૌથી મોટા પક્ષને જ બુલાવવો જરૂરી નથી.

બંધારણ વિશેષજ્ઞ સુભાષ કશ્યપના જણાવ્યા પ્રમાણે આવી પરિસ્થિતિમાં બંધારણમાં એવું કંઇ જ નથી કહેતું કે રાજયપાલ સૌથી મોટા પક્ષને બોલાવશે. ચૂંટણીમાં પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતિમાં રાજયપાલ એવા વ્યકિતને મુખ્યમંત્રી તરીકે નિયુકત કરશે જે તેમના હિસાબે સદનમાં બહુમત પ્રાપ્ત કરી શકે. જેના માટે તેમને વિવેકાધિકાર પ્રાપ્ત છે. રાજયપાલને વિવેકાધિકાર છે. પરંતુ તેને સારી રીતે સમજવો પડે. બહુમતનું સમર્થન કોની પાસે છે.

(3:45 pm IST)