Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર રેલીઓ પર લાગી શકે છે પ્રતિબંધઃ આજે ચૂંટણી પંચની સર્વદળીય બેઠક

આયોગની બેઠકમાં રેલીઓ પર પ્રતિબંધ લગાવવા પર પ્રસ્તાવ મુકી શકે છે

નવી દિલ્હી, તા.૧૬: ચૂંટણી આયોગે શુક્રવારે સર્વદલીય બેઠક બોલાવી છે. સૂત્રો અનુસાર આયોગની બેઠકમાં રેલીઓ પર પ્રતિબંધ લગાવવા પર પ્રસ્તાવ મુકી શકે છે. સંવિધાનના અનુચ્છેદ ૩૨૪ અંતર્ગત શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે તેમની પાસે આ અધિકાર છે.  મોટી રેલીઓ રોડ શો અને જનસભાઓની જગ્યાએ તે રાજનીતિક દળોથી ૫ અથવા ૧૦ કાર્યકર્તાઓના સમૂહોમાં સામાજિક અંતર બનાવી રાખવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો પ્રસ્તાવ રાખી શકે છે. સાથે ડિઝિટલ અને વર્ચ્યૂઅલ રીતે પ્રચાર ચાલૂ રહેશે.

સૂત્રોના જણાવ્યાનુસાર બેઠકમાં સામેલ થવા માટે બંગાળમાં તમામ રાજનીતિક દળોના ફકત એક જ પ્રતિનિધિને કહેવામાં આવ્યું છે. બેઠકમાં બાકીના ૪ ચરણ માટે ચૂંટણી પ્રચારને સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર બેઠકમાં સામાજિક અંતર અને કોવિડ ૧૯ સાથે જોડાયેવા વિભિન્ન નિયમોનું પાલન કરવા માટે ચર્ચા કરવામાં આવશે.

ઉમેદવારી પાછી લેવાની છેલ્લી ૧૨ એપ્રિલની તારીખ છે. અને મતદાનની તારીખની વચ્ચે ઓછામાં ઓછા ૪ દિવસનું અંતર હોવુ જોઈએ. એટલા માટે ૨૬ એપ્રિલની પહેલા મતદાન ન થઈ શકે. એટલા માટે મતદાન પાછળ ઠેલી શકાય છે.  પરંતુ આગળ ન લાવી શકાય. બેઠકમાં રાજય ઉપરાંત પોલીસ મહાનિર્દેશક (કાયદા- વ્યવસ્થા) જગ મોહન અને રાજયના સ્વાસ્થ્ય સચિવ એનએસ નિગમની બેઠકમાં હાજર રહેશે.

આ પહેલા કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ ટીબી એન રાધાકૃષ્ણનની પીઠે ૨ જનહિતની અરજી પર સુનવણી કરતા મંગળવારે નિર્દેશ કર્યો હતો કે કોરોના વાયરસના મામલામાં વધારાને ધ્યાનમાં રાખી વિધાનસભાની ચૂંટણી માટે રાજનીતિત દળોના પ્રચારના સંબંધમાં સ્વાસ્થ્ય સંબંધી તમામ નિર્દેશોનું કડકાઈથી પાલન થવું જોઈએ.

(4:05 pm IST)