Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બિહારમાં પત્રકારના પુત્રની આંખો ફોડી લાશને ખાડામાં ફેકી

નાલંદા,તા.૧૬: બિહારમાં હવે પત્રકારોની સાથે સાથે તેમના ઘરવાળા પણ સુરક્ષિત નથી તાજેતરના દિવસોમાં બિહારમાં થયેલ પત્રકારો પર હુમલા બાદ પણ સરકાર આ બાબતે ગંભીર નથી નવો મામલો બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના ગૃહ જીલ્લા નાલંદાનો છે અહીં એક ખાનગી અખબારના નાલંદા જીલ્લા પ્રભારીના પુત્રની અપરાધિઓએ નિર્મમ હત્યા કરી દીધી છે અને શબને ગામના જ એક પાણી ભરેલ ખાડામાં ફેકી દીધી છે.શબ મળતા જ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ જયારે જીલ્લાના પત્રકારોમાં શોકની લહેર દોડી ગઇ છે.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મૃક અશ્વિનીકુમાર દેશના એક જાણીતા અખબાર નાલંદા જીલ્લા કાર્યાલય પ્રભારી આશુતોષ આર્યનો એક માત્ર પુત્ર હતાં કહેવાય છે કે પત્રકાર આશુતોષ પોતાના પરિવારની સાથે નાલંદાના  હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તાર હસનપુર ખાતે પોતાના પૈતૃક ગામમાં જ રહેતો હતો તે પોતાની માતાને ક્રિકેટ રમવાની વાત કહી ઘરેથી નિકળ્યો હતો મોડી રાત સુધી પરત નહીં આવતા પરિવારજનોએ તેની શોધ કરી હતી ત્યારબાદ મોડી રાતે તેની લાશ ગામના જ એક પાણી ભરેલ ખાડામાં મળી આવી હતી તેની બંન્ને આંખો ફોડી નાખવામાં આવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(4:19 pm IST)