Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કોઈપણ મહિલા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી : આઝમખાનના નિવેદન પર અર્પણા યાદવની પ્રતિક્રિયા

અખિલેશ યાદવ અને માયાવતીના મૌન વિશે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો.

યુપીમાં સપા નેતા આઝમ ખાનના વિવાદી નિવેદન પર પ્રતિક્રિયા આપતા અપર્ણા યાદવે કહ્યુ, 'કોઈ પણ વ્યક્તિએ આ રીતનું નિવેદન ન આપવુ જોઈએ. આ બહુ દુઃખની વાત છે કે આઝમ ખાનજીએ આવી વાત બોલી છે.

    અર્પણા યાદવે કહ્યું કે આ રીતના સ્ટેટમેન્ટથી કોઈ પણ વ્યક્તિ મોટા નેતા ન બની શકે અને એ વાતનો કોઈ અર્થ નથી કે કોઈ મહિલા ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી કે અપના દલમાં હતી કે છે. હું બસ એટલુ કહીશ કે કોઈ પણ મહિલા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી અને હું આની નિંદા કરુ છુ.' સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીના મૌન વિશે અપર્ણા યાદવે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો.

(2:36 pm IST)