Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

આઈપીએલમાં ચૂંટણીલક્ષી જાહેરાતો પ્રસારિત કરવા અંગે વિધિવત મંજુરી મંગાઈઃ સોમવારે સીઓએની બેઠકમાં નિર્ણય લેવાશે

નવી દિલ્હીઃ દેશમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂકયુ છે ત્યારે ૨૩ માર્ચથી આઈપીએલનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. બીસીસીઆઈને મુખ્ય બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડીયાએ એક પત્ર લખી આઈપીએલ દરમિયાન ચૂંટણીલક્ષી જાહેરાતો પ્રસારિત કરવા પરવાનગી માંગી છે. કરાર મુજબ આઈપીએલમાં રાજકીય તથા ધાર્મિક જાહેરાત પ્રસારિત નહીં થઈ શકે. પરવાનગીની શકયતા નહીંવત હોવા છતા સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ ત્રણ સભ્યોની કમીટી 'સીઓએ' દ્વારા આ અંગે સોમવારે ચર્ચા થશે. બીસીસીઆઈએ ગયા વર્ષે પણ આ અંગે સ્પષ્ટ કરેલ કે રમત અને રાજકારણને એકબીજાથી દૂર રાખવું જોઈએ

(3:33 pm IST)