Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

જો ન્યુઝીલેંડ જેવો હુમલો ભારતમાં થાય તો રાજકીય સ્વરૂપ અપાયઃ મુસ્લિમો પરના હુમલાને નેતૃત્વ પરોક્ષ રીતે સમર્થન પણ આપે

મહેબુબા મુફતી બોલવા લાગ્યા પાકિસ્તાનની ભાષા

નવી દિલ્હી તા.૧૬: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ ગઇકાલે ન્યુઝીલેન્ડની અલનુર મસ્જીદમાં થયેલા હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જો આવો હુમલો ભારતમાં થયો હોત તો અહિની નેતાગીરી છુપી રીતે મુસ્લિમો ઉપરના હુમલાને વ્યાજબી ઠેરવે તેમણે એમ પણ કહ્યું હતું કે આવો બનાવ અહિં બને તો તેને રાજકીય સ્વરૂપ પણ આપી દેવાયું હોત.

તેમણે કહ્યું છે કે ન તો કોંગ્રેસ કે ન તો પીએમ મોદીએ ગઇકાલની ઘટનાને વખોડી કાઢી છે તેમણે કહ્યું છે કે આતંકને કોઇ ધર્મ નથી હોતો પણ દુર્ભાગ્યથી તેને ઇસ્લામ સાથે જોડવાનું સરળ અને સુગમ થયું છે. તેમણે ટ્વીટ કયુંર્ છે કે જે રીતે ન્યુઝીલેન્ડના પીએમે હુમલા બાદ ખુદને સંભાળ્યા અને મીડિયાને સંબોધન કયુંર્ એ દાદ દેવાને લાયક છે.

(11:27 am IST)