Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

બાપ રે, પુરી દિલ્હી દેશદ્રોહી, રામનું રાજ્ય,હનુમાનની જીત !! :સામનામાં શિવસેનાએ ભાજપ સામે કટાક્ષ કર્યો

હવે ભાજપના ફુગ્ગાઓ ફુટવાની શરૂઆત: મતદારો બેઈમાન નથી. ધર્મના નામે તોફાન પેદા કરવામાં આવે છે તેમાં તેઓ વહેતા નથી

મુંબઈ : દિલ્હી વિધાનસભાના ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ આજે અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે શિવસેનાએ સામના દ્વારા ભાજપ પર કટાક્ષ કર્યો છે. સામનામાં શિવેસના સાંસદ સંજય રાઉતે બાપ રે બાપ, સમગ્ર દિલ્હી દેશદ્રોહી. તેવા હેડર સાથે લેખ લખ્યો છે. અને લખ્યુ કે દિલ્હીના ચૂંટણી પરિણામોએ બતાવી દીધુ છે કે, પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ અજેય નથી. બીજી વખત એટલે મતદારો બેઈમાન નથી. ધર્મના નામે તોફાન પેદા કરવામાં આવે છે તેમાં તેઓ વહેતા નથી 

દિલ્હીમાં રામ શ્રદ્ધાની જીતી છે પંરતુ કેટલીક વખત હનુમાન પણ જીત અપાવે છે. અને દિલ્હીમાં એવુ જ કંઈક થયુ છે. સંજય રાઉતે કહ્યુ કે, લોકસભા ચૂંટણીમાં મજબૂત રહેલી ભાજપ વિધાનસભા ચૂંટણીઓમાં પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ જાય છે અને દિલ્હીના ચૂંટણી પરિણામોએ તે સ્પષ્ટ કરી દીધુ છે. ભાજપ અજેય નથી અને મોદી-શાહના કારણે જીતી શકાય છે તે દંતકથાઓમાંથી લોકોએ હવે બહાર નીકળવુ જોઈએ. શિવસેના સાંસદ સંજય રાઉતે એમ પણ કહ્યુ કે હવે ભાજપના ફુગ્ગાઓ ફુટવાની શરૂઆત થઈ છે.

(10:38 pm IST)