Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

જમ્મુમાં સતત બીજા દિવસે કરફ્યું : સેનાની ફ્લેગમાર્ચ

મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ રખાઈ : કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર સંચારબંધી અકબંધ રખાઈ : તમામ પરીક્ષાઓને મોકુફ રાખવા નિર્ણય

જમ્મુ,તા. ૧૬ : પુલવામામાં ત્રાસવાદી હુમલા બાદ જોરદાર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આજે બીજા દિવસે પણ સંચારબંધી અકબંધ રાખવાાં આવી હતી. મોબાઈલ ઈન્ટરનેટ સેવાને પણ બંધ રાખવામાં આવી છે. ભારતીય સેનાએ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજીને સ્થિતિને હળવી કરવાના પ્રયાસ કર્યા હતા. વહીવટી અધિકારીઓએ કહ્યું છે કે જમ્મુ યુનિવર્સિટીએ આજે યોજાનારી પરીક્ષાોને મોકુફ કરી દીધી હતી. હવે આ પરીક્ષાઓ આગામી દિવસોમાં યોજાશે. જમ્મુ-સાંબા કથુઆ રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ વિનોદ ગુપ્તાએ કહ્યું હતું કે જમ્મુ ક્ષેત્રમાં સંચારબંધી લાગુ કરવાાં આવી છે. હજુ સુધી કોઈપણ અનિચ્છનિય ઘટના બની નથી. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું છે કે આજે બીજી નવ સુરક્ષા ટુકડીઓને ગોઠવી દેવામાં આવી છે. આ પહેલા શુક્રવારના દિવસે પણ સુરક્ષા ટુકડીઓ ગોઠવાઈ હતી. ગુરૂવારના દિવસે પુલવામા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ લોકોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. આતંકી ઘટનાના વિરોધમાં શુક્રવારના દિવસે પણ જોરદાર વિરોધ પ્રદર્શનનો દોર રહ્યો હતો. અનેક જગ્યાઓએ વાહનો ફુંકી દેવામાં આવ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં લઈને આજે પણ સંચારબંધી અકબંધ રાખવામાં આવી હતી. બીજી બાજુ રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ગાળા દરમિયાન એનઆઈએની ટીમ સાથે ફોરેન્સીક ટીમ અને સીઆરપીએફના ડીજી આરઆર ભટનાગર પણ પહોંચ્યા છે. સીઆરપીએફના કાફલાની બસને ટાર્ગેટ બનાવીને કરાયેલા હુમલાાં ૧૫૦થી ૨૦૦ કિલગ્રામ વિસ્ફોટકોન ઉપયગ કરવામાં આવ્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામાં ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શન જારી છે. કોઇ પણ રીતે સ્થિતી ન વણસે તે માટે જમ્મુમાં સંચારબંધી લાગુ કરવામાં આવેલી છે. નવાબાબાદ, બસ સ્ટેન્ડ, બક્સી નગર સહિતના અને વિસ્તારોમાં સંચારબંધી જારી રહી છે. અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી હુમલાને મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. જૈશના અફઝલ ગુરુ સ્કવોડે અગાઉ પણ અનેક હુમલાઓને અંજામ આપ્યા છે.  શ્રીનગરના લાલચોક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત પોલીસ જવાનો શહીદ થયા હતા. આ પહેલા ૩૦ અને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે પુલવામામાં બીએસએફના જવાનો ઉપર પણ આ ત્રાસવાદી ટોળકીએ હુમલો કર્યો હતો.

(7:58 pm IST)