Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ભારતના કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢતા ઇન્ડિયન અમેરિકન અગ્રણી ડો. વિઠલભાઇ ઘડૂક : શહીદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવીઃ શહીદોના પરિવારોને આશ્વાસન પાઠવ્યું: અમેરિકામાં વસતા તમામ NRI તથા OFBJP માદરે વતનની સેવા માટે કટિબધ્ધ હોવાનું જણાવ્યું

(દિપ્તીબેન જાની દ્વારા)  ન્યુજર્સીઃ  ભારતના કાશ્મીરમાં આવેલા પુલવામા  ખાતે ૧૪ ફેબ્રુઆરી ર૦૧૯ ના રોજ આતંકવાદી સંગઠને ભારતીય જવાનો ઉપર કરેલા નિષ્ઠૂર હુમલાને અમેરિકા સ્થિત કોમ્યુનીટી અગ્રણી ડો. વિઠલભાઇ ધડુકએ વખોડી કાઢયો છે. તથા આ હુમલાખોરોની  ભારે નિંદા કરી છે.

તેમણે માર્યા ગયેલા શહીદોના  પરિવારો ભારત સરકાર, આર્મી તથા તમામ દેશવાસીઓને અપીલ કરતા જણાવ્યું  છે કે આ સંકટના સમયે અમેરિકામા વસતા તમામ NRI  તથા OFBJP  તમારી સાથે છે. તથા શહીદોને શ્રધ્ધાંજલી આપવાની સાથે તેમના પરિવારોને આશ્વાસન  પાઠવે છે. તથા અમેરિકામાં  વસતા ભારતીય સમાજ વતન સેવા માટે કાયમ કટિબદ્ધ છે તેમ ઉમેર્યુ છે તેવું શ્રી વિઠલભાઇની યાદી જણાવે છે.

 

(9:12 pm IST)