Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહને સ્વાઈનફ્લૂની અસર :એઇમ્સમાં દાખલ કરાયા

અમિતભાઈએ ખુદ ટ્વીટ કરીને આપી જાણકારી :છાતીમાં દુખાવો અને શ્વાસ લેવાની તકલીફ :વોર્ડ ન,301માં દાખલ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહને સ્વાઈનફ્લૂની અસર થઇ છે અને તેઓને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતભાઇ શાહે ટ્વિટ કરીને સ્વાઈન ફ્લૂ અંગેની જાણકારી આપી હતી. હાલમાં દિલ્હીની એઈમ્સમાં અમિત ભાઈ શાહની સારવાર ચાલી રહી છે

   અમિતભાઇ શાહ બે દિવસ માટે અમદાવાદ આવ્યા હતા. અને તેમણે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિતભાઇ શાહે  ટ્વિટ કરીને કહ્યું હતું કે મને સ્વાઇન ફ્લૂ થયો છે. તેની સારવાર ચાલી રહી છે. ઇશ્વરની કૃપા, તમારા બધાનો પ્રેમ અને શુભકામનાથી જલ્દી સાજો થઈ જઈશ.
    જાણવા મળ્યા મુજબ અમિતભાઇ શાહને છાતીમાં થોડો દુખાવો થતો હતો અને શ્વાસ લેવામાં તકલીફ હતી જેથી એઈમ્સના દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી અમિતભાઈ  શાહે ટ્વિટ કરીને પોતાને સ્વાઇન ફ્લૂ થયો હોવાની માહિતી આપી હતી.
     વધુમાં જાણવા મળ્યા મુજબ દિલ્હી એઈમ્સના વરિષ્ઠ ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે તેમને એઇમ્સના વોર્ડ નંબર 301માં ભરતી કરવામાં આવ્યા છે

(10:46 pm IST)