Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સબરીમાલા વિવાદ : ૩૦ વર્ષીય બે મહિલાઓને ઉશ્કેરાયેલી ભરાયેલી ભીડે ના કરવા દીધા અયપ્પા ભગવાનના દર્શન

કુન્નૂરની બે મહિલાઓ રેશ્મા અને સનિલાએ કર્યો પ્રયાસ ૫ કિમીની યાત્રા કર્યા બાદ મંદિરની ચોટી સુધી પહોચી ગયા

કન્નુરની રહેવાસી બે ૩૦ વર્ષીય મહિલાએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વિરોધીઓ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

બુધવારે રેશમા અને સનીલા નામની બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો.આશરે ૫ કિમીની યાત્રા કર્યા બાદ તે લોકો મંદિરની ચોટી સુધી પહોચી ગયા હતા પરંતુ ગુસ્સે ભરાયેલા ભક્તોની ભીડે તેમને રોકી દીધા હતા. બે મહિલાઓએ તેમની યાત્રા સવારે ૫ વાગ્યે શરુ કરી હતી.

 બંને મહિલાના કહેવા પ્રમાણે તેઓ દર્શન માટે એટલા માટે આવ્યા હતા કેમકે પોલીસે તેમને સુરક્ષા માટેની ખાતરી આપી હતી. જો કે પરિસ્થિતિ બેકાબુ બની જતા બંને મહિલાએ દર્શન કર્યા વિના જ પરત આવવું યોગ્ય સમજ્યું.

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.

(2:00 pm IST)