Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

દિલ્હીમાં કાતિલ ઠંડી :ડિસેમ્બરમાં 235 અને જાન્યુઆરીમાં વધુ 96 લોકોના મોત

નવી દિલ્હી :ઉત્તરભારતમાં બર્ફિલા પવનોને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. એવામાં બેઘર લોકોની જિંદદી બેહાલ છે. હાડ થીજાવી દેતી ઠંડીને કારણે દિલ્હીમાં 14 દિવસમાં 96 બેઘરો ઠંડીથી મોતનો આ દાવો સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ નામની એજન્સીએ કર્યો છે

   આ આંકડા મુજબ ડિસેમ્બર 2018થી જાન્યુઆરી 2019 સુધી કુલ 331 લોકોના ઠંડીથી મોત થયાં છે. જેમાં 235 લોકોએ ડિસેમ્બર મહિનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે નવા વર્ષના 14 દિવસમાં જ 96 બેઘરોના મોત થયાં છે.

  સેન્ટર ફોર હોલિસ્ટક ડેવલપમેન્ટે જણાવ્યું કે આ આંકડા ગૃહ મંત્રાલયની વેબસાઈટમાંથી કાઢવામાં આવ્યા છે. બર્ફિલા પવનોને કારણે હવામાન સતત ઠંડુ થઈ રહ્યું છે.

(1:06 pm IST)