Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અફઘાનિસ્તાનના કાબૂલમાં થયેલા બોમ્બ ધડાકાથી એક ભારતીયનું મોતઃ મૃતદેહ ભારત મોકલવા દૂતાવાસ તરફથી કરાયેલી વ્યવસ્થા

કાબૂલઃ અફઘાનિસ્તાનના કાબૂલમાં ગઇકાલ સોમવારે આતંકવાદીઓએ કરેલા બોમ્બ ધડાકાથી મૃત્યુ પામેલ ૪ વ્યકિતઓમાં એક ભારતીય મૂળની વ્યકિતનો પણ સમાવેશ થાય છે.

આ હુમલાથી ૧૦૦ જેટલા નાગરિકો ઇજાગ્રસ્ત પણ થયા છે ભારતીય દૂતાવાસે મૃતક ભારતીયના પરિવાર સમક્ષ શોક વ્યકત કરી મૃતદેહ ભારત મોકલવાની વ્યવસ્થા કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે પણ આ બાબતે અફઘાનિસ્તાન સરકાર સમક્ષ વિરોધ વ્યકત કર્યો છે.

(7:07 pm IST)