Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વતનમાંથી પરત બેહરીન જઇ રહેલા NRIને એરપોર્ટ ઉપર થયેલો કડવો અનુભવઃ ચેકીંગ વખતે સ્‍કેનર ઉપર રાખેલી બેગ કેનેડા જતા ઉતારૂએ લઇ લેતા ન્‍યુ દિલ્‍હીના ઇન્‍દિરા ગાંધી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ઉપર રોકાવુ પડયું: ૩ દિવસે બેગ પરત આવતા તેમાં રહેલો પાસપોર્ટ ચેક કરી બેહરીન જવા દેવાયા

ન્‍યુ દિલ્‍હીઃ બહેરનથી પોતાના માતા-પિતાને મળવા લખનૌ આવેલા NRI સત્‍યેન્‍દ્ર સિંઘને પરત ફરતી વખતે દિલ્‍હીના ઇન્‍દિરા ગાંધી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ઉપર ફરજીયાતપણે ૩ દિવસ માટે રોકાણ કરવું પડયું હતું.

ચેકીંગ વખતે પોતાની બેગ સ્‍કેનર ઉપર રાખ્‍યા બાદ તે પરત લેવા જતા ગૂમ જણાઇ હતી. આ બેગમાં તેમનો પાસપોર્ટ પણ હતો. તેથી એરલાઇન્‍સ કંપનીને જાણ કરાતા CCTV ફુટેજમાં જોવાતા તે બેગ કેનેડાના ઉતારૂએ લઇ લેતા કેનેડા પહોંચી ગઇ હતી. જે ૩ દિવસે પરત આવતા તેમનો પાસપોર્ટ ચેક કરી આખરે ગઇકાલ સોમવારે તેમને બેહરીન જવા દેવાયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(11:09 pm IST)