Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કોંગ્રેસે ફેસબુકને ભાજપના અને બજરંગ દળના કબ્જામાં ગણાવ્યું

કોંગ્રેસે ફેસબુક ઇન્કના સીઇઓ માર્ક ઝુકરબર્ગને બે પત્રો લખીને આ બાબતને ધ્યાને લેવા જણાવ્યુ છે સામે ફેસબુકે પણ જરૂરી પગલાં લેવાશે તેવું જણાવ્યુ છે

નવી દિલ્હી, તા. ૧પ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે એક રિપોર્ટ બહાર આવ્યા બાદ જણાવ્યું કે ફેસબુક પર ભારતીય જનતા પાર્ટી (ગ્થ્ભ્) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય (ય્લ્લ્) નો કબજો છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ફેસબુક નફરત ફેલાવતી સામગ્રી વિરૂધ્ધ કાર્યવાહી કરતું નથી.પૂર્વ કોંગ્રેસ પ્રમુખએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, ઙ્કફરી એકવાર સાબિત થઇ ગયું છે કે ભારતમાં ફેસબુક ભાજપ અને આરએસએસના નિયંત્રણમાં છે.ઙ્ખ તેમણે અમેરિકાનાં અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા એક સમાચારને ટાંકીને ટિપ્પણી કરી.

રાહુલે અમેરિકાનાં અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા સમાચારને ટાંકીને એક ટીવી ન્યૂઝ ચેનલનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુકએ તેનો બિઝનેશ વિના વિઘ્ને ચાલતો રહે ઓફિસો અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બજરંગ દળના કાર્યકરોનાં ઉશ્કેરીજનક વીડિયો સામે કોઇ પગલા લીધાં નથી.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક સત્ત્।ાધારી ભાજપ સાથેના સંબંધો બગડવાથી ડરતું હતું, તેથી તેણે બજરંગ દળના દાહક વીડિયો સામે કયારેય કોઈ પગલું ભર્યું નથી. અખબારે લખ્યું છે કે જો ફેસબુક બજરંગ દળના કાર્યકરો વિરુદ્ઘ કાર્યવાહી કરે તો કંપનીને તેનું કામ કરવામાં મુશ્કેલી પડી હોત, તેમજ તેના કર્મચારીઓ અને કચેરીઓને પણ ધમકી મળી શકતી હતી.

આ પહેલીવાર નથી જયારે ફેસબુક વિવાદમાં છે. અગાઉ, આ વર્ષે ઓગસ્ટમાં, વોલ સ્ટ્રીટ જર્નલે રિપોર્ટમાં જણાવાયું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નીતિઓ કથિત રીતે પક્ષપાતી અને વ્યવસાયિક હિતોને કારણે શાસક ભાજપની તરફેણ કરનારી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ફેસબુકના જાહેર નીતિના વડા અંખી દાસે પ્લેટફોર્મ પર અપમાનજનક ટિપ્પણી પોસ્ટ કરવા છતાં શાસક પક્ષ અને તેના એક નેતાની તરફેણમાં લોબિંગ કર્યું હતું. જોકે ફેસબુકે આ આરોપોને નકારી દીધા હતા. આ વર્ષે ઓકટોબરમાં, અંખી દાસે આ કંપની છોડી દીધી. ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે માત્ર એક જ વ્યકિત બદલવાથી આ મુદ્દો હલ નહીં થાય.

વોલ સ્ટ્રીટ જર્નલે ૧૪ ઓગસ્ટના રોજ અંખી દાસનાં આગેવાનીવાળી ફેસબુક ઇન્ડિયાની ટીમના કથિત પક્ષપાતપુર્ણ કેસો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી અને કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમાં અહેવાલ આપ્યો હતો કે અંખી દાસ શાસક પક્ષ અને તેના નેતાઓની તરફેણ કરે છે અને તે નકલી અને દ્વેષપૂર્ણ અને દ્યૃણાજનક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.ત્યારબાદ, કોંગ્રેસે ફેસબુક ઇન્કના સીઇઓ માર્ક ઝુકરબર્ગને બે પત્રો લખીને આ બાબતને ગંભીરતાથી જોવાની વિનંતી કરી. ફેસબુકે તેની તટસ્થતા અને યોગ્ય પગલા ભરવાનું વચન આપતો પત્રોનો જવાબ આપ્યો હતો.

(2:56 pm IST)