Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

દિલ્હી રોડ પર નવવિવાહીત યુગલ બસ નીચે કચડાયુ

બસ રોડ ડીવાઇડર ઠેકાડી પલ્ટી મારી ગઇ : મોટરસાઇકલ પર સવાર યુગલના મોત : બસમાં સવાર યાત્રીકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા

નવી દિલ્હી તા. ૧૫ : ચંદબાજી-આમેર (અચરોલ) ના દિલ્હી રોડ પર તાલાના વળાંક પાસે ગઇકાલે સોમવારે સર્જાયેલ બસ અને મોટરસાઇકલ  વચ્ચેના અકસ્માતમાં નવવિવાહીત યુગલનો ભોગ લેવાયો છે.

ટકર મારીને બસ રોડ ડીવાઇડર મપર ચડી રોંગ સાઇડમાં થોડે આગળ જઇ પલ્ટી મારી ગઇ હતી. આ દુર્ઘટનામાં મોતને ભેટલ મોટરસાઇકલ સવાર નવપરણિત યુગલના ૧૪ દિવસ પહેલા જ લગ્ન થયા હતા. બિદારા (શાહપુરા) નિવાસી મહેશકુમાર યાદવ (ઉ.વ.૨૨) અને તેમની પત્નિ સજના (ઉ.વ.૨૦) ના કમકમાટી ભર્યા મોતથી પરિવારજનો હતપ્રભ થઇ ગયા છે.વિધિની વક્રતા એવી છે કે જે મોટર સાઇકલ પર સવાર થઇને આ યુગલ મૃત્યુને ભેટયુ તે મોટરસાઇકલ પણ તેમને લગ્નના દિવસે ભેંટમાં મળ્યુ હતુ.

પોલીસે જણાવ્યાનુસાર બસ અને મોટરસાઇકલ વચ્ચેની ટકકરનો જોરદાર ધડાકો સાંભળી માર્ગ પરની દુકાનોવાળા તેમજ આસપાસના ગામલોકો દોડી આવ્યા હતા. પરંતુ યુગલને બચાવી શકયા નહોતા.  દિલ્હીથી જયપુર તરફ જઇ રહેલ બસમાં સવાર મુસાફરોને પણ ઇજા પહોંચતા નિમ્સ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડેલ છે.

અકસ્માત સર્જાયા બાદ મોટરસાઇકલ ૫૦ ફુટ દુર સુધી બસની સાથે ઢસડાયુ હતુ. બસ આગળ જઇને ડીવાઇડર ઠેકાડી પલ્ટી મારી ગઇ હતી.

(11:28 am IST)