Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

દિલ્હીમાં સ્વાતિ માલિવાલ બેભાન : બળાત્કારીઓને 21 દિવસમાં ફાંસીની સજા માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ છે

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા બળાત્કારની ઘટનાઓ સામે અને આકરામાં આકરા કાયદાની માગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા દિલ્હી કમિશન ફોર વીમેન ના ચેરમેન સ્વાતિ માલી વાલ આજે તેરમાં ઉપવાસ બેભાન બની જતા તેમને આઈસીયુમાં ખસેડેલ છે.

  કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રતિભાવ નહિ મળતા તે ખૂબ નારાજ હતા. જોકે આંધ્ર સરકારે દિશા બિલ લાવી આ દિશામાં આગળ પગલું ભર્યું તેની તેમણે સરાહના કરી હતી જેના અમલ દેશભરમાં કરવાની માંગણી કરી છે આ બિલ હેઠળ બળાત્કારીને 21 દિવસમાં ફાંસીની સજાની જોગવાઈ છે

(4:44 pm IST)