Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઉત્તર પ્રદેશના લોકભવનમાં અટલજીની ૨૫ ફુટની પ્રતિમા મુકાશે

સ્વામી વિવેકાનંદજી મહંત અવૈધયનાથ અને મહંત દિગ્વિજયનાથની ૧૨.૫ ફુટની પ્રતિમા લગાડાશે

લખનૌઃ ભારત  રત્ન પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની ૨૫ ફુટ ઉંચી પ્રતિમાં લખનૌમાં નવનિર્મિત લોકભવનમાં લગાવવામાં આવશે. સાથો સાથ રાજભવનમાં સ્વામી વિવેકાનંદજી તથા મુખ્યમંત્રી આદિત્યનાથના ગુુરૂ મહંત અવૈધ્યનાથ તથા મહંત  દિગ્વિજયનાથની પ્રતિમાંઓ ગોરખપુરમાં લગાડવામાં આવશે. જેની ઉંચાઇ ૧૨.૫ ફુટની રાખવામાં આવશે. જો કે ગોરખપુરમાં પ્રતિમાંઓ કયાં મુકવામાં આવશે તે અંગે હજુ સ્થળ નકકી નથી કરાયું. સ્થળ અંગે તંત્ર પાસે વિવિધ મુદ્દે રીપોર્ટ માંગવામાં આવ્યા છે.

(3:27 pm IST)