Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સત્તામાં બેઠેલાઓ માટે ૮૦% લોકો જ અસલી ભારતીયઃ બાકી મહેમાન

મણીશંકર ઐપ્યરનો ભાજપ ઉપર હુમલો

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા મણીશંકર ઐય્યરે પણ હિન્દુત્વના મુદ્ે મોદી સરકાર ઉપર હૂમલો કર્યો છે. તેમણે જણાવેલ કે સત્તામાં બેઠેલા લોકો માટે ૮૦ ટકા લોકો જ અસલી ભારતીય છે. અમારા માટે બધા ભારતીય છે. જવાહરલાલ નહેરૂથી વધુ ભારતની વિવિધતાને કોઇ નથી સમજયુ. ભાજપની નજરમાં બાકીના ર૦ ટકા ગેર ભારતીય છે, જે આપણા દેશમાં મહેમાન બનીને રહે છે. અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પણ હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વચ્ચેનો ફરક અંગે નિવેદન આપી ચૂકયા છે.

(5:21 pm IST)