Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

દિલ્હી સરકાર વાયુપ્રદૂષણને નાથવા ટોટલ લોકડાઉન લગાડવા તૈયાર છે: સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ

ટોટલ લોકડાઉન ત્યારે કારગર નીવડે કે જ્યારે તેને સમગ્ર એનસીઆ વિસ્તારમાં લાગુ પડાય : દિલ્હીનો જટિલ આકાર જોતા લોકડાઉનની વાયુપ્રદૂષણ પર નહિવત અસર થશે.

નવી દિલ્હી : વાયુપ્રદૂષણના મુદ્દે સુપ્રીમમાં એફિડેવિડ દાખલ કરવા દિલ્હી સરકારે જણાવ્યું કે દિલ્હી સરકાર વાયુપ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ટોટલ લોકડાઉન લગાડવા તૈયાર છે પરંતુ ટોટલ લોકડાઉન ત્યારે કારગર નીવડે કે જ્યારે તેને સમગ્ર એનસીઆ વિસ્તારમાં લાગુ પાડવામાં આવે.

દિલ્હીનો જટિલ આકાર જોતા લોકડાઉનની વાયુપ્રદૂષણ પર નહિવત અસર થશે.દિલ્હીની વાયુ ગુણવત્તામાં સામાન્ય સુધારો થયો છે. જો કે આ હજું પણ બહું ખરાબ કેટેગરીમાં છે. આની વચ્ચે ફરી આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થવાની છે. જ્યાં દિલ્હી સરકાર તરફથી શક્ય લોકડાઉનનો પ્રસ્તાવ રાખવામાં આવી શકે છે.

રવિવારે દિલ્હીની એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 330 નોંધવામાં આવી હતી. જે એક દિવસ પહેલા એટલે કે શનિવારે 437 હતી. શુક્રવારે AQI 471 હતી. જે આ વાતાવરણનું સૌથી ખરાબ સ્તરનો AQI હતો. ત્યારે હરિયાણા અને પંજાબમાં આગ લાગવાની ઘટનાઓ ઓછી થઈ છે. દિલ્હીથી અડીને ગાજિયાબાદ, ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ, ગ્રેટર નોઈડાના AQIની વાત કરીએ તો આ ક્રમશઃ 331, 281, 321, 298, 310 નોંધવામાં આવ્યો છે.

ત્યારે શનિવારે સુપ્રીમ કોર્ટને દિલ્હીના પ્રદૂષણની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ચિંતાજનક સ્થિતિ છે . આ જ કારણે દિલ્હીની હવાની સ્થિતિ ખરાબ થઈ છે. દિલ્હી સરકારે પહેલા સ્કૂલ અને કોલેજ બંધ કરી દેવાનું એલાન કર્યુ છે. ફક્ત તે જ સ્કૂલ રહેશે જેમની સોમવારે પરીક્ષા થવાની છે. દિલ્હીમાં તમામ ઓફિસ, સ્વાયત્ત સંસ્થાઓને પણ વર્ક ફ્રોમ હોમ હેઠળ કામ કરવાનું કહ્યું છે. જો કે જરુરી સેવાઓ સાથે જોડાયેલા લોકો આ દાયરામાં નથી આવતા.

(11:57 am IST)