Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

લગ્ન બાદ ઈશા અંબાણી-આનંદ ૪૫૨ કરોડના બંગલામાં રહેશે

સસરા અજય પીરામલે ભાવિ વર-વધુને ગીફટમાં આપ્‍યો વર્લી સી-ફેસ સ્‍થિત પાંચ માળનો બંગલો : ૫૦,૦૦૦ ચોરસ ફુટમાં ફેલાયેલો છે આલિશાન બંગલોઃ હાલ રીનોવેશન ચાલે છે જે આવતા મહિને પુરૂ થઈ જશે

મુંબઈ, તા. ૧૫ :. લગ્ન બાદ નીતા અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનું નવુ સરનામુ વર્લી સી-ફેસ રહેશે જ્‍યાં તે પોતાના ભાવિ પતિ આનંદ પીરામલ સાથે રહેશે. આમ તો ઈશાનું પિયર એટલે કે અલ્‍ટામાઉન્‍ડ રોડ ઉપર આવેલ અંબાણી મેન્‍શન દેશમાં સૌથી વધુ ચર્ચિત છે પરંતુ તેની આ નવી હવેલી જરા પણ ઓછી નથી. જાણવા મળે છે કે આનંદના પિતા અજય પીરામલે આ બંગલાને ૪૫૨ કરોડમાં ખરીદયો હતો. ઈશા ૧૨ ડીસેમ્‍બરે આનંદ સાથે લગ્નગ્રંથીથી જોડાશે તે પછી બન્ને વર્લી સી-ફેસ સ્‍થિત પાંચ માળના બંગલામાં રહેવા જશે. આ બંગલો પીરામલે ૬ વર્ષ પહેલા હિન્‍દુસ્‍તાન યુનિલીવર લી. પાસેથી ખરીદયો હતો.

આ આલિશાન બંગલો ૫૦,૦૦૦ ચોરસ ફુટમાં ફેલાયેલો છે. આ બંગલો આનંદના માતા-પિતા એટલે કે અજય અને સ્‍વાતિ પીરામલ તરફથી તેના પુત્ર અને પુત્રવધુને ગીફટમા મળેલો છે. અત્રે એ નોંધનીય છે કે અજય પીરામલ દુનિયાભરમાં ૧૦ અબજ ડોલરનો વેપાર સંભાળે છે. જે ફાર્મા, ફાયનાન્‍સીયલ સર્વિસ, રીયલ એસ્‍ટેટ, આઈટી અને ગ્‍લાસ પેકેજીંગમાં સામેલ છે.

પાંચ માળના બંગલામાં બેઝમેન્‍ટના ૩ ફલોર અલગ છે. જેમાં બીજા અને ત્રીજા માળે સર્વિસ અને પાર્કિંગ છે. આ બંગલો ૨૦૧૨માં ૪૫૨.૫ કરોડમાં ખરીદવામાં આવ્‍યો હતો. ૨૦૧૫માં તેનુ રીનોવેશન કરવામાં આવ્‍યુ હતું. હાલ ઈશા એન્‍ટેલીયામાં રહે છે. નવો બંગલો ૧લી ડીસેમ્‍બર સુધીમાં રીનોવેટ થઈ જશે.

(11:45 am IST)