Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

યુવક નશાની હાલતમાં પ્રદર્શન સ્થળે જતા નિહંગોએ હત્યા કરી

સિંધુ સરહદ પર હત્યા કરાયેલા યુવકની ઓળખ થઈ : લખબીર સિંહ અનુસુચિત જાતિનો હતો, તેનો કોઈ ગુનાઈત ભૂતકાળ જાણવા મળ્યો નથી, તે એક મજૂર હતો

નવી દિલ્હી, તા.૧૫ : સિંધુ બોર્ડર પર એક વ્યક્તિની હાથ અને પગ કાપી નાંખીને કરાયેલી હત્યાથી દેશ સ્તબ્ધ થઈ ગયો છે. આ ઘટનાના વિડિયો જોઈને લોકો હચમચી રહ્યા છે ત્યારે આ યુવકની ઓળખ ૩૫ વર્ષીય લખબીર સિંહ સ્વરૂપે થઈ છે. આ વ્યક્તિ પંજાબના તરણતારણ વિસ્તારનો રહેવાસી છે. લખબીર સિંહની પત્ની તેની નશાની આદતથી કંટાળીને પિયર જતી રહી હતી અને સાથે પોતાની ત્રણ પુત્રીઓને પણ લઈ ગઈ હતી. લખબીર સિંહ મજૂરી કરતો હતો.

કેટલાક લોકોનુ કહેવુ છે કે, નશાની હાલતમાં તે સિંધુ બોર્ડર પર પ્રદર્શન સ્થળે જતો રહ્યો હતો અને તે એટલો નશામાં હતો કે તેને તે શું કરી રહ્યો છે તેનુ પણ ભાન નહોતુ.

એવો આરોપ છે કે, નિહંગોએ પહેલા તેને માર્યો હતો અને એ પછી તેનો એક હાથ અને એક પગ કાપી નાંખ્યો હતો. તેને બેરિકેટ પાસે લઈ ગયા હતા અને દોરડા વડે બાંધીને લટકાવી દીધો હતો. આ દરમિયાન તેના વિડિયો પણ બનાવાયા હતા. લખબીર સિંહ અનુસુચિત જાતિનો હતો. પોલીસને તપાસમાં તેનો કોઈ ગુનાઈત ભૂતકાળ જાણવા મળ્યો નથી. તે એક સાધારણ મજૂર હતો. તેના ગામમાં પણ તેની કોઈની સાથે લડાઈ ઝઘડાની જાણકારી પોલીસને મળી નથી.

(7:26 pm IST)