Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાજધાની દિલ્હીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૪૩ મો પાટોત્સવ ઉજવાયો...*

ડે. સ્પીકર શ્રી ડો. કિરીટભાઈ સોલંકી તથા કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મહેન્દ્ર મુંજપરા દર્શન આશીર્વાદથી કૃતકૃત્ય થયા

યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ પરંપરાના ચતુર્થ આધ્યાત્મિક વારસદાર. તેઓ દૂરંદેશી હતા તેથી તો ભારત અને વિદેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આર્ય –ભારતીય સંસ્કૃતિના તેઓશ્રી આદ્ય વિચરણ કરનાર ધર્માચાર્ય રહ્યા છે.

વિશ્વધર્મચૂડામણી શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ભારત રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં પુનિતપાવની યમુનાના તીરે આજથી ૪૩ વર્ષ પૂર્વે અનેક મુમુક્ષુઓની આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી અને યુગદ્રષ્ટા સ્વામીબાપાએ પોતાની હયાતીમાં જ પોતાનાં મૂર્તિ સિંહાસનમાં પધરાવ્યાં અને તેજ દિને સ્વ મૂર્તિમાંથી પ્રસ્વેદ બિંદુના સૌ સંતો-ભક્તો દર્શનાર્થીઓને અમે પ્રતિમા દ્વારા સાક્ષાત અહીં બિરાજમાન છીએ.દિલ્હીમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવી વિશ્વવંદનીય શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઇતિહાસ સર્જ્યો.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી તથા પૂજનીય સંતો હરિભક્તોના સાન્નિધ્યમાં નવાં રૂપ રંગથી સુસજ્જ મંદિર મહેલ શોભી રહ્યો ત્યારે તેનો ૪૩ મો વાર્ષિકોત્સવ ઉલ્લાસભેર ઊજવવામાં હતો. ષોડશોપચારથી પૂજાવિધિ, અન્નકૂટોત્સવ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, પરમ પૂજય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ, પૂજનીય સંતો મહંતોના પ્રવચનો વગરે અનેકાનેક આધ્યાત્મિક કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.

ગુજરાતના અમદાવાદ તથા સુરેન્દ્રનગરના લોકલાડીલા ડે. સ્પીકર શ્રી ડો. કિરીટભાઈ સોલંકી તથા કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મહેન્દ્ર મુંજપરાનું પરમ પૂજય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પાઘ, પુષ્પહાર, શાલ, પ્રસાદ અર્પી યથાયોગ્ય સન્માન કર્યું હતું. સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય દર્શન તથા પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું પરમ સાનિધ્યે આધ્યાત્મિક આનંદની અનુભૂતિ પામ્યા હતા.

(5:48 pm IST)