Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જેલમાં કેદી નંબર ૯૫૬ છે આર્યન ખાનઃ પિતા શાહરૂખે મની ઓર્ડરથી મોકલ્‍યા ૪૫૦૦ રૂપિયા

આર્યન માત્ર બિસ્‍કિટ ખાઈને દિવસો કાઢી રહ્યો છે, આર્યન પોતાની સાથે પાણીની ૧૨ બોટલ લઈને ગયો હતોઃ જમવાનું પીરસવામાં આવે છે ત્‍યારે કહે છે કે તેને ભૂખ નથી

મુંબઇ,તા. ૧૫: શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને અત્‍યારે જામીન નહીં મળવાના કારણે તે મુંબઈની આર્થર રોડ જેલમાં જ રહેશે. મુંબઈ સેશન કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર આદેશ સુરક્ષિત કર્યો છે અને હવે ૨૦ ઓક્‍ટોબરે નિર્ણય કરશે. જેલની અંદર દરેક કેદીને એક નંબર આપવામાં આવે છે. આર્યન ખાનને ૯૫૬ નંબર આપવામાં આવ્‍યો છે. એટલે કે આર્યન ખાનને કેદી નંબર ૯૫૬ બોલાવાશે.
જેલમાં કેદી નંબરને બંદી નંબર પણ કહેવામાં આવે છે. જેલમાં કોઈપણ કેદીને તેના નંબરથી બોલાવામાં આવે છે. આ રીતે આર્યન ખાનને બોલાવવા માટે ૯૫૬ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. જયાં સુધી આર્યન ખાન જેલમાં રહેશે ત્‍યાં સુધી તેને આ નંબર ૯૫૬થી બોલાવાશે.
આર્યન ખાનને જેલની અંદર ૧૧ ઓક્‍ટોબરે ૪૫૦૦ રૂપિયાનો મની ઓર્ડર આવ્‍યો હતો. આર્યન ખાનને આ મની ઓર્ડર તેના પિતા શાહરુખ ખાને મોકલ્‍યો હતો. આર્યન ખાને આ મની ઓર્ડરનો ઉપયોગ પોતાના કેન્‍ટિનના ખર્ચા માટે કર્યો. જેલના નિયમ મુજબ, એક કેદીને એક મહિનામાં માત્ર ૪૫૦૦ રૂપિયાના મની ઓર્ડરની અનુમતિ છે.
રિપોર્ટ અનુસાર, આર્યન ખાન જેલમાં ગયો છે ત્‍યારથી એક કોળિયો પણ જેલના ભોજનનો નથી ખાધો. આર્યનને જેલનો ખોરાક પસંદ નથી આવી રહ્યો. અમારા સહયોગી શ્નઠ્ઠ ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા'ના રિપોર્ટ અનુસાર, રિપોર્ટ્‍સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આર્યન માત્ર બિસ્‍કિટ ખાઈને દિવસો કાઢી રહ્યો છે. આર્યન પોતાની સાથે પાણીની ૧૨ બોટલ લઈને ગયો હતો, જે અત્‍યાર સુધી ચાલી રહી છે. આર્યન જેલનું પાણી પણ નથી પીતો, તેની પાસે હવે માત્ર ૩ બોટલ બાકી રહી છે.
રિપોર્ટ્‍સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોર્ટના આદેશ વિના આર્યનને ઘરનો ખોરાક નથી મળી શકતો. આર્યન ખાને જેલની કેન્‍ટિનનું ભોજન જ લેવું પડશે. આર્થર રોડ જેલમાં સવારે નાસ્‍તામાં શીરા પૌંઆ આપવામાં આવે છે. લંચ અને ડિનરમાં દાળ, ભાત, રોટલી અને શાક આપવામાં આવે છે. પરંતુ આર્યન ખાન કેન્‍ટિનમાંથી બિસ્‍કિટ ખરીદીને કામ ચલાવે છે. જયારે તેને જમવાનું પીરસવામાં આવે છે ત્‍યારે કહે છે કે તેને ભૂખ નથી. જેલના અધિકારીઓએ આર્યનને સમજાવ્‍યો હતો પરંતુ જેલમાં કંઈ જ ખાવા માટે રાજી નહોતો. રિપોર્ટ્‍સ પ્રમાણે, શાહરૂખ અને ગૌરી કેસના સતત ફોલો-અપના સાથે ઊંઘ્‍યા વગર રાતો પસાર કરી રહ્યા છે. ન્‍યૂઝ પોર્ટલના કહેવા પ્રમાણે, કપલ આર્યનના હેલ્‍થની અપડેટ માટે દિવસ દરમિયાન અઢળક ફોન કરે છે. શાહરૂખ અને ગૌરીએ આર્યન માટે દ્યરે બનેલું ભોજન તેમજ અન્‍ય જીવન જરૂરિયાતની વસ્‍તુઓ પણ મોકલી હતી. જો કે, તેને અંદર લઈ જવાની મંજૂરી મળી નહોતી.
 

(10:15 am IST)