Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

માયાવતીએ કહ્યું યોગ્ય સમયે દેશમાંથી મોટી સંખ્યા સાથે હું પણ બાબા સાહેબ આંબેડકરની જેમ ધર્મપરિવર્તન કરીશ

માયાવતીએ કહ્યું . હું પણ બૌદ્ધ ધર્મની અનુયાયી બનવા માટે દીક્ષા જરૂર લઇશ

નાગપુર : મહારાષ્ટ્ર ચૂંટણી માટે નાગપુરમાં એક જનસભાને સંબોધતા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે, તેઓ પણ બાબા સાહેબ આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે.

   નાગપુરમાં પોતાની સભા દરમિયાન માયાવતીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાના દેહાંતના થોડા સમય પહેલા પોતાનો ધર્મ પરિવર્તન કર્યો હતો. તમે લોકો મારા ધર્મ પરિવર્તન વિશે પણ વિચારતા હશો. હું પણ બૌદ્ધ ધર્મની અનુયાયી બનવા માટે દીક્ષા જરૂર લઇશ પરંતુ એ ત્યારે થશે જ્યારે તેનો યોગ્ય સમય આવે. એવું ત્યારે થશે જ્યારે સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકો આવું ધર્માંતરણ કરે. ધર્માંતરણની આ પ્રક્રિયા પણ ત્યારે જ સંભવ છે જ્યારે બાબા સાહેબના અનુયાયીઓ રાજકીય જીવનમાં પણ તેમના બતાવેલા રસ્તે અનુસરણ કરે.

(12:00 am IST)